ભુજ તાલુકાનાં થરાવડા-વરલી સીમની વાડીમાંથી 64 હજારના વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

copy image

ભુજના નાના થરાવડા અને વરલી ગામના સીમ વિસ્તારમાં આવેલ વાડીમાંથી 64 હજારના વાયરની તસ્કરી થતાં પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ મામલે નાના થરાવડા-વરલી સીમના ખેડૂત હરેશભાઈ સામજીભાઈ ભગતએ ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 1/12ની રાત થી બીજા દિવસની સવાર સુધીના સમયગાળા દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમ તેમની તથા સાહેદની વાડીઓ પરથી આઠ એમ.એમ. અલગ-અલગ કુલ 810 ફૂટ કોપર કેબલ જેની આશરે કિ. રૂા. 64,300ની તસ્કરી કરી પલાયન થઈ ગયેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.