અંજાર ખાતે મીઠા પસવારિયામાં આધેડની હત્યા કરી નાસી છૂટેલ ઈશમો પોલીસના સકંજામાં
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, મીઠા પસવારિયામાં આધેડની હત્યા કરનારા આરોપી શખ્સોને પોલીસે ઝડપી પાડેલ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અંજારના મીઠા પસવારિયાના વાડીવિસ્તારમાં આ બનાવ બન્યો હતો. મળતી વિગતો મુજબ અંજારમાં રહેતા પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવનારા રાણાભાઈ મીઠા વાડીએ હતા. તે દરમ્યાન આરોપી શખ્સો અંદરોઅંદર ગાળાગાળી કરતાં હોવાના કારણે આ આધેડે તેની ગાળાગાળી કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા આ શખ્સોએ આધેડ પાસે આવી તેમની પર છરી વડે હુમલો કરી દીધો હતો. ત્યાર બાદ આરોપી શખ્સો વાગડ પંથકમાં નાસી છૂટ્યા હતા. માહિતી મળી રહી છે કે, આ બનાવને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.