ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘ તરફથી ૨૬મી જાન્યુઆરી ૭૫માં પ્રજાસત્તાક દિન નિમિત્તે કચ્છના કોટડા ગામ ગુરુ રોહીદાસ બુદ્ધવિહાર ખાતે ઉજવણી કરાઈ

ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ દ્વારા આજે પ્રજાસત્તાક દિવસ છે! ભારતીય પ્રજાસત્તાકનો જન્મદિવસ! બ્રિટીશ ગુલામી મૂડીવાદના જુવાળમાંથી મુક્તથયા પછી, સ્વતંત્ર ભારતનું સંચાલન કરવા માટે રાષ્ટ્રીય બંધારણની જરૂર હતી. આ હેતુ માટે સવિધાન સભાની સ્થાપના કરવામાં આવી હતી.બે વર્ષથી વધુ વિગતવાર ચર્ચા અને વિચાર-વિમર્શ પછી તત્કાલીન કેન્દ્રીય કાયદા પ્રધાન ડૉ.. બાબાસાહેબ આંબેડકર રાજ્યના બંધારણનો મસદ્દો તૈયાર કરીને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું બંધારણ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ અમલમાં આવ્યું. તો આ છે પ્રજાસત્તાક દિવસ! ૨૬ જાન્યુઆરી, સ્વતંત્રતાની માંગ સાથે ઠરાવ પસાર કર્યો. તે જ દિવસે બંધારણનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ડૉ. બાબા સાહેબ આંબેડકરે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત ભારત દેશને ભેટ આપી હતી અને લોકશાહી અસ્તિત્વમાં આવી.
અને તેમજ આજના દિવસે કચ્છ જિલ્લાના કોટડા ગામે ઓલ ઇન્ડિયા,SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી તેમજ ભારતીય ધ્વજને સલામી આપવામાં આવી હતી ઓલ ઇન્ડિયા,SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘ,કચ્છ સંગઠન પ્રમુખ ખેમચંદભાઈ હમીરભાઇ શામળીયા. નાતીબેન ગોવાભાઇ શામળિયા, દક્ષકુમાર ભારમલભાઈ શામળીયા સંગઠનના કાર્યકર્તાઓ ગામજનો ની હાજરીમાં ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરી હતી