ગાંધીધામના ગોદામમાંથી થયેલ ચોખા ચોરીના કેસમાં વધુ ત્રણ શખ્સો પોલીસના સકંજામાં
copy image

ગાંધીધામના એક ગોદામમાથી 4.29 લાખના ચોખાની ચોરીના ચકચારી પ્રકરણમાં વધુ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગાંધીધામમાં આવેલ સેકટર-12 અંબિકા વે બ્રિજ ગોદામમાંથી રૂા. 4,29,000નાં ચોખા ચોરીના પ્રકરણમાં અગાઉ આરોપી ઈશમોની અટક કરાઈ હતી. આ કેસમાં ગત દિવસે વધુ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવેલ છે. પકડાયેલ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
.