વિવિધ કલા ક્ષેત્રના કલાકારોનું એક જ મંચ પરથી સન્માન

સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ તથા કચ્છ લોકસભા દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત સાંસદ કલા મહોત્સવ ના આયોજન માં ભુજ મધ્યે ટાઉનહોલ માં ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં સર્વે કલા સાધકો નું કચ્છ મોરબી ના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી, વિવિધ સેવાકીય સંસ્થાનો સલગ્ન શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા વિવિધ ક્ષેત્ર ના રાજકીય, સામાજીક મહાનુભાવો ની ઉપસ્થિતિ માં ઉષ્માભેર સન્માન કરવામાં આવેલ.
સાંસદશ્રી વિનોદ ચાવડાએ કલા સાધકો નું સન્માન કરતાં જણાવ્યુ હતું કે, ૬૪ કલા અને ૧૬ ભાષા નો જયારે સુમેળ થાય ત્યારે સાહિત્યની ઉપમા મળે છે. સાહિત્ય ના વિવિધ ક્ષેત્રો માં વિરલ પ્રદાન કરનાર કર્મઠ સાધક કલાકારો ને એક જ મંચ ઉપર થી મને સન્માન કરવાનો રૂડો અવસર પ્રાપ્ત થયેલ છે. કલા એટલે માનવ સર્જિત કૃતિઓ અને કલા ના માધ્યમો સંસ્કાર જગત અને જ્ઞાન જગત ને સૃષ્ટિ પર ફેલાવે છે.
કચ્છ ઈતિહાસમાં સૌ પ્રથમ વખત એક મંચ ઉપર હસ્ત કલાથી લઈ ગાયન – વાદન કલાકારો કાવ્ય સર્જક, નાટ્ય કલાકાર, ફોટો ગ્રાફર, રોગાન આર્ટ કલાકાર, ચિત્રકલા સાધક, પદ્મશ્રી વિજેતા, રાષ્ટ્રીય એવોર્ડ અને રાજય કક્ષા ના મેળવેલ તજજ્ઞ કલાકારો નું સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઇ વરચંદે જણાવ્યુ હતું કે, કલા સર્જન ની પ્રક્રિયા ને લક્ષમાં રાખી સર્જક ની અનુભૂતિ જે માધ્યમ દ્વારા અભિવ્યક્ત થાય જે કલા છે. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ આજે સૌ કલા સર્જકો ને એક જ મંચ પર બોલાવી સન્માન કરવાનું ભગીરથ બીડું ઝડપ્યું છે જે ખુબજ સરાહનીય છે. તેમના પ્રયત્નો સફળ થયા છે. જે આજે વિવિધ ક્ષેત્ર ના કલાકારો ની હાજરી એ પ્રમાણિત કરે છે.
કલા વારસાને જાળવવા તજજ્ઞ કલાકારો માં સર્વશ્રી ઓસ્માણ મીર, સંગીતાબેન લાબડીયા, મોરારદાન ગઢવી, નિલેશભાઇ ગઢવી, હરી ગઢવી, ઘનશ્યામ ઝુલા, પુનસી ગઢવી, રાજેશ ગઢવી, દિવાળીબેન આહીર, સોનલબેન સંઘાર, બાબુભાઈ આહીર, હનીફ અસલમ ઢોલી, અનિરુધ્ધ આહીર, દેવકીબેન બુચિયા, ખુશી આહીર, ભુમી આહીર, દિપાલીબેન ગઢવી, ચંદ્રિકાબેન આહીર, પિયુષ મારાજ, દિક્ષિત મારાજ, વસંત મારાજ, અક્ષય જાની, શૈલેષ જાની સહિત નામી અનામી કલાકારો ઉપસ્થિત રહી સન્માન સ્વીકારેલ.
પદ્મશ્રી નારાણભાઇ જોષી “કારાયલ”, અબ્દુલભાઇ ગફુર ખત્રી સાથે રોગાન આર્ટ ૪ કલાકાર, ૨૦ નાટ્ય કલાકાર, ફોટોગ્રાફી ૪, ચિત્રકલા માં પાંચ અને સંગીત ક્ષેત્રે ગાયક અને વાદન કલાકાર ૪૦૦ થી વધુ લોકોને સન્માનીત કરવામાં આવેલ.
ઉપસ્થિત મહાનુભાવો માં શ્રી દેવજીભાઇ વરચંદ પ્રમુખશ્રી કચ્છ જિલ્લા ભાજપ, શ્રી જનકસિંહ જાડેજા પ્રમુખશ્રી કચ્છ જીલ્લા પંચાયત, શ્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ મહામંત્રી કચ્છ જીલ્લા ભાજપ, શ્રી દિલિપભાઇ શાહ મહામંત્રી કચ્છ જીલ્લા ભાજપ, શ્રીમતિ રશ્મિબેન સોલંકી પ્રમુખ ભુજ નગરપાલિકા, શ્રી વિનોદભાઇ વારસાણી પ્રમુખ ભુજ તાલુકા પંચાયત, શ્રી પ્રવીણસિંહ વાઢેર, શ્રી ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય, શ્રી મૌલીકભાઇ, સર્વશ્રી દેવરાજભાઇ ગઢવી, બાલકૃષ્ણ મોતા, શ્રી ભીમજીભાઇ જોધાણી, શ્રી દિનેશભાઇ ઠક્કર, શ્રી ચંદનસિંહ રાઠોડ, શ્રીમતિ મનીષાબેન વેલાણી, શ્રીમતી કુંવરબેન મહેશ્વરી, શ્રીમતી મનીષાબેન સોલંકી, શ્રી સાવિત્રીબેન જાટ, શ્રી અશોકભાઇ હાથી, શ્રી રવિભાઈ નામોરી, શ્રી કમલભાઇ ગઢવી, શ્રી વિશાલ ઠક્કર, શ્રી મયુરસિંહ જાડેજા, શ્રી પ્રફુલસિંહ જાડેજા, શ્રી રવિભાઇ ત્રવાડી, શ્રી પ્રકાશભાઇ મહેશ્વરી, મોહનભાઇ ચાવડા, કિશોરભાઇ મહેશ્વરી, કિરણ ગોરી, ગાભુભાઇ વણકર, યોગેશ ત્રિવેદી, ધર્મેન્દ્ર ગોહિલ, હિતેશભાઇ ભારથી, તથા શ્રી સમાજ નવનિર્માણ ટ્રસ્ટીશ્રીઓ હજાર રહ્યા હતા.
સમસ્ત કાર્યક્રમ નું સંચાલન શ્રી પંકજભાઇ ઝાલા અને આભાર વિધિ શ્રી મનીષભાઇ બારોટે કરી હતી. કૃણાલ ઠક્કર, કે.કે. નટ, પ્રતીક શાહ, તથા સાંસદશ્રી મિત્ર વર્તુળના સહયોગ થી કાર્યક્રમ સફળ રહ્યો હતો.