ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગરમાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગરમાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી હતી, આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગરમાં ભંગારના વાડામાં આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગરમાં આવેલા ભંગારના વાડામાં કામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન એકાએક મશીનમાંથી તણખા ઝરતા તેણે આગનું સ્વરુપ લઈ લીધુ હતું અને ટૂંક જ સમયમાં આ આગ વિકરાળ બની હતી. બનાવની જાણ થતાં જ અગ્નીશમન દળોએ ઘટનાસ્થળ પર જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.