ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે મરાઠી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન

ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ભરૂચ શહેરમાં મરાઠી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,જેમાં શ્રવણ ચોકડી પરથી વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી. જેમાં મોટી સંખ્યા મરાઠી સમાજના લોકો જોડાયા હતા.
છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો પરંપરાગત વસ્ત્રો પહેરી શોભાયાત્રામાં જોડાયા હતા.
આ શોભાયાત્રા શહેરના શ્રવણ ચોકડીથી પ્રસ્થાન કરી શક્તિનાથ થઈ જૂની મામલતદાર કચેરી સામે આવેલા સંકટ મોચન હનુમાનજીના મંદિર ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.જો કે શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે માત્ર શોભાયાત્રા સાથે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને જન જન સુધી પહોંચાડવાનો પણ ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ