માંડવીના દરિયાકિનારે વધારાનું અતિક્રમણ તંત્ર દ્વારા હટાવાયું

copy image

copy image

માંડવી શહેરના દરિયા કિનારે વધારાનું અતિક્રમણ કરેલ હોવાનું સામે આવતા તંત્ર દ્વારા તેને તોડી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર માંડવીના દરિયા કિનારે આવેલ બે દરગાહની આડમાં વધારાનું અતિક્રમણ કરેલ હોવાનું સામે આવતા તંત્ર દ્વારા ગત બુધવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બુધવારે તોડી પાડવામાં આવેલ હતું. જાણવા મળી રહ્યું છે કે, માંડવી દરિયા કિનારે મસ્કા સીમ વિસ્તારમાં આવેલ દરગાહ અને ગુંદિયાળી સીમ વિસ્તારમાં આવેલ દરગાહના સરકારી જમીન પરના બિનઅધિકૃત બાંધકામ મરીન પોલીસની હદમાં આવતાં પૂરતા બંદોબસ્ત સાથે વહીવટી તંત્ર દ્વારા જેસીબીની મદદથી દબાણો હટાવી દેવામાં આવેલ છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, દરગાહને સુરક્ષિત રાખવામાં આવી છે.