રાપર તેમજ ભચાઉ તાલુકામાં થયેલ કમોસમી વરસાદના લીધે  ખેડુતોને થયેલ નુકશાની અંગેનું પૂરતું વળતર આપી રાહત  આપવા પૂર્વ ધારાસભ્ય દ્વારા રાજયના મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા તેમજ ખેડૂતો માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ ગુજરાત રાજયના રજયપાલશ્રી તથા  મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી અમિતભાઈ ચાવડા સહિત માન.મુખ્ય સચિવશ્રી ગુજરાત સરકાર તથા કલેક્ટરશ્રી કરછ સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ હતું કે તા.૦૨-૦૩-૨૦૨૪ ના રોજ વરસાદ થયેલ છે જેના લીધે સમગ્ર મારા મતવિસ્તાર હેઠળના રાપર અને ભચાઉમાં જગત ના તાત એવા ખેડૂતોને તેમની ખેતીમાં મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે તેમજ ખેતરમાં લહેરાત રવિ પાકો જેવા કે રાયડો ,ઘઉં,ઈસગુલ જેવા વગેરે પાકોમાં લાખોનું નુકશાન થયેલ છે જેના કારણે ખેડુતોની રાત-દિવસની કાળી મહેનત પર પાણી ફરી વળ્યું હોઈ જેના લીધે ખેડુતો પર માતમ જેવો માહોલ સર્જાઈ ગયો છે તેમજ મોટા પ્રમાણમા નુકસાની થયેલ હોઈ માટે ખેતી પ્રધાન દેશમાં ખેડુત હિતને ધ્યાને રાખી તાત્કાલીક ધોરણે પૂરતા પ્રમાણમાં વળતર આપી રાહત આપવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ રાજય સરકાર સહિત મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી હતી.