જેયતીભાઈ ભાનુશાલીની હત્યાના મુખ્ય આરોપી છબીલભાઈ પટેલ નો SIT સમક્ષ આત્મસમર્પણ

અબડાસાના પુર્વધારા સભ્ય જેયતીભાઈ ભાનુશાલીની હત્યાના મુખ્ય આરોપી છબીલભાઈ પટેલ આખરે SIT સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. છેલા કેટલાક સમયથી વિદેશ ભાગી ગયેલ છબીલભાઈ પટેલ ગત મોદી રાત્રે અમદાવાદ એરપોર્ટ આવી પહોચ્યા હતા. જ્યાં તેઓએ SIT સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. છબીલભાઈ પટેલની SIT દ્રારા આગળની પુછપરછ હાથ ધરવામાં આવી છે. જેયતીભાઈ ભાનુશાલીની હત્યાના મુખ્ય સૂત્રધાર તરીકે છબીલભાઈ પટેલનું નામ મોખરે આવ્યું હતું. આ હત્યાના કેસમાં છબીલભાઈ પટેલના પુત્ર સિધાર્થ પટેલની પણ SIT રેલવે પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવી છે.