નાગલપરના શખ્સ વિરૂદ્ધ યુવતી નું અપહરણ કરી દુષ્કર્મ કર્યાના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો અદાલતનો હુકમ
copy image

નાગલપરના શખ્સ વિરૂદ્ધ યુવતી નું અપહરણ કરી દુષ્કર્મ કર્યાનો કેસ નોંધાયો હતો,જેમાં આરોપી નિર્દોષ છોડી મુકવાનો અદાલતે હુકમ કર્યો . યુવાન વિરૂદ્ધ નખત્રાણા પોલીસ મથકે યુવતી ની માતાએ નોંધાવેલ ફરિયાદ બાદ આ કેસ ભુજની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા આઠ મૌખિક અને 12 દસ્તાવેજી પુરાવા તપાસમાં આવ્યા જેમાં પાંચમા અધિક સેશન્સ જજના જણાવ્યા અનુસાર , મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓમાં વિરોધાભાસ આવે છે અને ભોગ બનનાર સાથે જોરજબરદસ્તી પણ થઈ નથી આથી આરોપીને નિર્દોષ છોડી મુકવા અદાલત દ્વારા આદેશ કરાયો હતો.