ભીડનાકા બહારના વિસ્તારમાં રહેતા એક શખ્સે કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
ભીડનાકા બહારના વિસ્તારમાં રહેતા એક શખ્સે કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સૂત્રો દ્વારા જળવામાં આવ્યું કે આઝાદનગર ખાતે યુવક પોતાના ઘરે હતો ત્યારે કોઈક અગમ્ય કારણસર લાકડાંની આડીમાં દોરી વડે ગળે ટુંપો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.ત્યારબાદ સારવાર અંગે તેને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પોહચડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. શહેરની બી-ડિવિઝન પોલીસે આ મામલે આગળની વધૂ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.