માધાપરમાં આર્મી કર્નલના ઘરમાંથી નોકરે 1.80 લાખની ચોરી

copy image

copy image

માધાપરના નવાવાસના પ્રેમનગરમાં રહેતા આર્મીના લેફ્ટન કર્નલના ઘરમાંથી નોકરે જ રૂા. 1.80 લાખનાં ઘરેણા સહિતની ચોરી થતાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ અંગે મૂળ ગુડગાવ – હરિયાણાના એવા લે. કર્નલ નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા. 22/5ના તેઓ તથા પત્ની અને બાળકો સાથે સંબંધીનાં ઘરે અમદાવાદ ગયા હતા અને ઘરની ચાવી ઘરમાં નોકર તરીકે કામ કરતા શખ્સને આપી હતી. 26/5ના ઘર આવતાં બધું બરોબર હતું, પરંતુ આર્મી કેમ્પના સિપાઈ દ્વારા ફરિયાદીને જાણવા મળ્યું કે, પાર્થીમન પી સોનાના દાગીનાની ચોરી કરી છે. આથી ફરિયાદીએ તા. 8/6ના ઘરની શેટી-પલંગમાં રહેલા દાગીના તપાસતાં સોનાનું મંગળસૂત્ર ચાર તોલા કિં. રૂા. 1,20,000, સોનાની ચેઈન એક તોલા કિં. રૂા. 30,000, એક જોડી સોનાના બુટિયા અડધા તોલા કિં. રૂા. 15,000 અને સોનાનો રોલેક્ષ ઘડિયાળનો પટ્ટો કિં. રૂા. 15,000 એમ કુલ્લે રૂા. 1,80,000 મુદ્દામાલ ની ચોરીનોકર તરીકે કામ કરતા શખ્સ કરી ગયાનો પાકો શક-વહેમ હોવાની ફરિયાદ નોંધાવી હતી.