અંજારમાં વકીલને જાનથી મારવાની ધમકી અંગે ફરિયાદ

copy image

copy image

અંજારમાં રહેનાર એક વકીલને તેમના અસીલના પતિએ ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજારમાં દબડા વિસ્તારમાં રહી ચિત્રકૂટ સર્કલ નજીક મધુબન કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા અને વકીલાતનો વ્યવસાય કરતા કમલેશકુમાર કેશવજી માતંગે બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી  સાંજના અરસામાં  પોતાની ઓફિસે હતા ત્યારે તેમના અસીલ મીનાક્ષીબેનના પતિ અનિલ લાલજી માણાવદરિયા (પટેલ)એ ફોન કર્યો હતો. તું કમલેશ માતંગ બોલે છે તેમ કહી ગાળાગાળી કરી હતી અને તું રેકોર્ડિંગ કરી તારા જજ સાહેબને સંભળાવજે અને કહેજે કે આ મને ધમકી આપે છે. તારા જજને ખબર પડે કે કોણ ધમકી આપે છે. તારી ઓફિસમાં આવી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.