અંજાર ખાતે આવેલ સતાપરથી ખારાપસવારિયા તરફ માર્ગ પર અજાણ્યો યુવાન લટકતી હાલતમાં મળી આવ્યો
copy image

અંજાર ખાતે આવેલ સતાપરથી ખારાપસવારિયા તરફ માર્ગ પર તળાવના કિનારે લીમડાના ઝાડમાં અજાણ્યો યુવાન લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ યુવાને ગરમ શાલ ઝાડમાં બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેના જમણા હાથના ભાગે બાજનું નિશાન હોવાનું જણાયું છે. આ વ્યક્તિની ઓળખ અંગે પોલીસે વધુ તપાસ આદરી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
