સુરતમાં ફીઝ ન ભરાતા શાળા સંચાલકોએ હેરાન કરતાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
copy image

સુરતમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ગોડાદરા વિસ્તાર રહેતી અને આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીને ફી નહી ભરવાને કારણે બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હતી. ધોરણ 8 અભ્યાસ કરતી વિધાર્થીની સાથે અનેક વખત ખરાબ ઉપરાંત વધુ દબાણ કરવામાં આવતું હતું. વધુમાં આ વિધ્યાર્થિનીને પરીક્ષા આપવા પણ દીધી ન હતી.બાદમાં શિક્ષકને ફોન કરવામાં આવતા એક મહિનામાં ફી ભરી દેવા જણાવ્યુ હતું. જેના કારણે આ વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. બનાવ પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ અને પોલીસે વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
