અંજારના વરસામેડીમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનારા આરોપી વિરદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વરસામેડીના આરોપી શખ્સે 31 વર્ષીય પરિણીતાને બદનામ કરવા તથા તેના પતિને કહી દેવાની ધમકી તથા ગાળો આપવા સાથે ફરિયાદીના ઘરે જઈ વારંવાર આ કૃત્ય આચર્યું હતું. ઉપરાંત પિડીતાને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે એક વર્ષ પહેલાંથી આજદિન સુધીમાં બનેલ આ બનાવ વિશે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.