બિદડામાં 35 વર્ષીય પરિણીતાના આપઘાત કેસમાં પતિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

માંડવી ખાતે આવેલ બિદડામાં 35 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાના પ્રકરણમાં પતિના ત્રાસના કારણે આ મહિલાએ આવું પગલું ભર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી શખ્સ તેમની પત્ની હતભાગી મહિલાને છેલ્લા ચારેક વર્ષથી અવાર નવાર શારીરિક-માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનુ સામે આવ્યું છે. જે આ મહિલા સહન ન કરી સકતા આખરે તેમને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.