મુંદ્રાના મોટી ખાખર જતા માર્ગેથી આધેડનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

copy image

મુંદ્રા ખાતે આવેલ મોટી ખાખર જતા માર્ગેથી મૂળ અમદાવાદના અને હાલમાં નવીનાળની લેબર કોલોનીમાં રહેતા 45 વર્ષીય આધેડનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આ મામલે સૂત્રોમાંથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગરમીના કારણે સતત ચિંતામાં રહેતા પ્રદીપભાઈ ગેણશભાઈ મકવાણા નામના આધેડનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગત તા. 16-4ના બપોરના સમયે કોલોનીમાંથી કોઈને કઈ પણ કીધા વગર ચાલ્યા ગયા હતા. બાદમાં મોટી ખાખર જતા માર્ગ પર પારસ વાટિકા વાડી પર કોહવાયેલી સ્થિતિમાં તેમનો મૃતદેહ મળી આવેલ હતો.પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.