સુરેન્દ્રનગરના થાનગઢ નજીક  કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં રાજકોટના દંપતીનું મોત

copy image

copy image

સુરેન્દ્રનગર ખાતે આવેલ થાનગઢ નજીક  કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં રાજકોટના દંપતીનું મોત નીપજયું છે તેમજ અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરેન્દ્રનગર ખાતે આવેલ થાનગઢ નજીક કારની ટ્રેક્ટર સાથે ભયાનક ટક્કર થતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં રાજકોટના દંપતીનું મોત થયું હતું. તેમજ અન્ય ત્રણ લોક ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો ડૂચો વળી ગયો હતો.