દેશલપર વાંઢાયમાં 42 વર્ષીય આધેડએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

copy image

copy image

copy image

ભુજ ખાતે આવેલ દેશલપર વાંઢાયમાં રહેતા 42 વર્ષીય આધેડએ ઝેરી દવા ગટગટાવી જીવનનો ત્યાગ કરી દીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  ગત તા. 25/5ના રાતના અરસામાં હતભાગી એવા રાજેશભાઇ ગોવિંદભાઇ પટેલે દેશલપર-વાંઢાય ગામે સંસ્કારધામની પાછળ વાડી તરફ જતા રસ્તે કોઇ અકળ કારણોસર દવા પી લીધી હતી. તેમને સારવાર અર્થે હોપિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.