વરસામેડીમાં નર્મદાની કેનાલમાં નાહવા ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત

body

copy image

copy image

અંજારના વરસામેડીમાં નર્મદાની કેનાલમાં નાહવા ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી રહી છે. આ મામલે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ગત તા.27/5ના છ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. અહી વરસામેડીમાં કેસરનગર નજીક પસાર થતી નર્મદા કેનાલમાં 17 વર્ષીય રોહિત નામનો યુવાન નાહવા માટે ગયો હતો. ત્યારે તે યુવાનનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.