સામખિયાળી નજીક કંપની વસાહતમાં દીવાલ પરથી પડી જતાં આધેડનું મોત

kissclipart-dead-body-clipart-cadaver-clip-art-2f15f28f4a80113c

copy image

copy image

સામખિયાળી નજીક કંપની વસાહતમાં દીવાલ પરથી પડી જતાં આધેડે જીવ ગુમાવ્યો હતો. વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સામખિયાળી નજીક નજીક આવેલી ઈલેક્ટ્રોથર્મ કંપનીની વસાહતમાં આ બનાવ બન્યો હતો. ગત તા. 1/6ના રાતના સમયે અહીં રહીને કામ કરનાર 55 વર્ષીય શિવલાલ સોનઈ સરોજ  ઘરની ગેલેરીમાં દીવાલ ઉપર બેઠા હતા, તે દરમ્યાન નીચે પટકાતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે આ આધેડનું મોત થયું હતું.