માત્ર ખરાબ ડ્રાઈવિંગ અકસ્માત માટે જવાબદાર ? તો આડેધડ પાર્કિંગનું શું….???

copy image

અત્યારે રોજ બરોજ કોઈ ને કોઈ અકસ્માતોના સમાચાર સામે આવી રહ્યા છે શું માત્ર ખરાબ ડ્રાઈવિંગ જ આના માટે જવાબદાર છે…? રોડ રસ્તા પર આડેધડ પાર્કિંગ કરવામાં આવતા વાહનોનો આમાં કોઈ દોષ નહીં….? માધાપર ગામમાં બસ સ્ટેશન વાળા મેઈન રોડ પર ધંધાદારીઓ પોતાના વાહનો પોતાની દુકાન કે શોપની આગળ જ રોડ પર પાર્કિંગ કરી દેતા હોય છે જેના કારણે રોડ રસ્તા મોટા હોવા છતાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ઉપરાંત પ્રાઈમરી સ્કૂલ પણ માધાપર બસ સ્ટેશન પર જ આવેલ હોવાથી નાના વિધ્યાર્થીઓની અવરજવર વધુ પ્રમાણમાં થતી હોય છે, જેમાં આ ટ્રાફિક સમસ્યાના કારણે અકસ્માત સર્જાય તેવો મોટો ભય મન રહી જાય છે. ઉપરાંત આ આડેધડ કરવામાં આવતી પાર્કિંગ અંગે કોઈ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવતી નથી.? જ્યારે કોઈ મોટા નેતા અધિકારીઓ આવે છે ત્યારે રોડ રસ્તાઓ સાફ કરી તમામ પાર્કિંગ વાહનો હટાવી દેવામાં આવે છે તો એ સિવાયના દિવસોમાં તંત્ર કેમ ઠરી જાય છે. શું નેતા કે મોટા અધિકારી આવે ત્યારે જ રોડ રસ્તા ક્લીયર જોઈએ એના સિવાયના દિવસોમાં નહીં…??? સરકાર એ સામન્ય લોકો અને જાહેર જનતાનાં લાભ અને તેમના જીવનધોરણ માટે ઘડવામાં આવે છે,? પરંતુ તેમના માટે કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનું જણાઈ રહ્યું છે? એમાં પણ માધાપર પોલીસ ચોકીના એક કિમીના આંતરમાં જ અઢળક વાહનો આડેધડ રીતે પાર્કિંગ કરેલા પડ્યા હોય છે. આવડું કટિબદ્ધ તંત્ર હોવા છતાં માધાપરમાં પાર્કિંગ પ્લોટોની સુવિધા કેમ નહીં…? જો છે તો આ પ્લોટો દેખાતા કેમ નથી…? ક્યાં ગૂમ થઈ ગયા છે…? હવે તો એવું લાગે છે કે જો એક-આંતરે કોઈ મોટા નેતા કે અભિનેતા આવે તો જ રોડ રસ્તા અને પાર્કિંગ વ્યવસ્તાનો લાભ સામાન્ય લોકોને મળી શકે તેમ છે ????