વ્યાજખોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, નવિનભાઇ જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પો.કોન્સ. જીવરાજભાઇ ગઢવીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન હકીકત આધારે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૭૦૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૫૧(૩)(૪),૫૪,૨૯૬(બી),૩૦૮(૨) તથા ગુજરાત નાણા ધીરનાર અધિનીયમ કલમ ૨૦૧૧ ની કલમ ૪૦,૪૨,૪૩ મુજબના ગુના કામેના આરોપી (૧) દરકાશ જાનમામદ ગગડા તથા (૨) અકબર અબ્દુલ મીયાત્રા રહે. બન્ને લખુરાઇ ચારરસ્તા પાસે, ભુજ વાળાઓની તપાસ કરતા મજકુર ઇસમો મળી આવેલ જેથી મજકુર ઇસમોને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમોએ ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમોની હસ્તગત કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

  • પકડાયેલ આરોપીઓ

દરકાશ જાનમામદ ગગડા રહે. લખુરાઇ ચારરસ્તા પાસે, ભુજ

  • અકબર અબ્દુલ મીયાત્રા રહે. લખુરાઇ ચારરસ્તા પાસે, ભુજ