પશ્ચિમ બંગાળના પુરુલિયામાં આજે સર્જાયેલ ગોઝારા અકસ્માતે નવ લોકોનો ભોગ લીધો

copy image

પશ્ચિમ બંગાળના પુરુલિયામાં આજે સર્જાયેલ ગોઝારા અકસ્માતે નવ લોકોના ભોગ લીધા છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પુરુલિયા-જમશેદપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આ ગમખ્વાર અકસ્માત સજાયો હતો. પુરુલિયાના બારાબજાર પોલીસ સ્ટેશન વિસ્તારના અદાબાના ગામથી લગ્ન સમારોહ માણ્યા બાદ બોલેરોમાં સ્વાર નવ લોકો પરત આવી રહ્યા હતા તે સમયે પુરપાટ આવતા ટ્રેઈલરના ચાલકે તેને હડફેટમાં લેતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં ઘાયલોને તાત્કાલિક સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તમામને મૃત ઘોષિત કર્યા હતા. પોલીસે ટ્રેલર કબ્જે કરી આ બનાવ અંગે વધુ તપાસ આદરી છે.