સુરતમાં 16 વર્ષીય વિધ્યાર્થીએ જન્મદિવાસના દિને જ કર્યો આપઘાત

copy image

સુરતમાં 16 વર્ષીય ધોરણ 9માં અભ્યાસ કરતાં વિધ્યાર્થીએ એવા આસુતોષએ પોતાના જન્મદિવસના દિને જ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભેસ્તાન વિસ્તારમાં આવેલ વિજય લક્ષ્મી નગરમાં આ ગોઝારો બનાવ બન્યો હતો. 16 વર્ષીય આસુતોષના જન્મદિન મનાવવા માટે દુકાનેથી કેક લઈને ઘરે આવ્યા અને તે કેક તેમના માટે ઝેર સાબિત થયું હોય એવું દ્રશ્ય જોવા મળ્યું. મૃતકના પિતા ઘરે પહોંચ્યા અને પિતાએ પુત્રને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોયો. આઘાત પામેલ પિતાએ બૂમાબૂમ કરતાં સ્થાનિકો એકઠા થઈ ગયેલ હતા. પોલીસે આ બાનવ અંગે આગળની વધુ તપાસ આદરે હોવાનું સામે આવ્યું છે.