ખારીરોહર નજીક કિશોરી પર બળાત્કાર ગુજાર્યાનો મામલો પોલીસ ચોપડે ચડયો

rap

copy image

copy image

ખારીરોહર નજીક કિશોરી પર બે કિશોરો દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આ બનાવ ચાર મહિના અગાઉ ખારીરોહર નજીક શાંતિલાલ ગોદામ પાસે રાત્રિના ભાગે બન્યો હતો. ભોગ બનનાર કિશોરીને આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ વાત ચાર મહિના પછી કિશોરીને ગર્ભ રહી જતાં બહાર આવી હતી. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.