મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભુજ ખાતે શૌર્યના પ્રતીકસમા સિંદૂરવનનું ખાતમૂહુર્ત કર્યું

       ભુજ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશાળ વિસ્તારમાં નિર્માણ પામનાર શૌર્યના પ્રતીકસમાન સિંદૂરવનનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. ભારતીય થલસેનાવાયુસેનાનૌસેનાબીએસએફ તથા પહેલગાવ હુમલામાં મૃત્યુ પામેલ નાગરિકોને સમર્પિત એવા “સિંદૂર વન” વન કવચનું વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વન કવચ વિકસાવવાની પદ્ધતિની વિગતવાર સમજ મેળવી હતી.

                        ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સિંદૂરવન બનાવવાનું આહવાન કર્યુ હતું. કચ્છના વન વિભાગે આ આહવાનને ઝીલીને જે સ્થળે સભા યોજાઈ હતી ત્યાં જ સિંદૂરવન બનાવવાનો નિશ્ચય કર્યો હતો. જેના ભાગરૂપે આજરોજ આહલાદક સિંદૂરવનના મુખ્યમંત્રીશ્રીએ બીજરોપણ કર્યા હતાં અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથેનું ભૂમિપૂજન કર્યું હતું.

                 ભુજના મિરઝાપર હાઇવે પર પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા તૈયાર થતાં સિંદૂર વનમાં વિશાળ વિસ્તારમાં ૮૦ હજાર રોપાનું વાવેતર કરવામાં આવશે. આ સિંદુર વન એક શૌર્યનું પ્રતીક બની રહેશે જેમાં ભારતની લશ્કરની તાકાત સમાન હવાઈ જહાજનેવીલશ્કરબી.એસ.એફ.ની થીમ આધારિત ચારેય પાંખના આધુનિક સાધનો મૂકવામાં આવશે. જેમાં અહીં આવનારા પર્યટકોને વન્ય સંપદાની સાથે આઈ.એન.એસ. વિક્રાંતએસ-૪૦૦ મિસાઇલડ્રોનરફાલ જેવા લડાયક સાધનોની થીમ પણ જોવા મળશે.

                    સિંદૂર વનમાં કચ્છની સ્થાનિક વનસ્પતિ વચ્ચેથી પસાર થતા પ્રવાસીઓને વધુ આનંદ થાય એ માટે અલાયદા વોકિંગ ટ્રેકની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કચ્છમાં ૮૦ હજાર વૃક્ષનાં કારણે શુદ્ધ વાતાવરણનું નિર્માણ થશે અને શહેરમાં મોટા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે. અહીં બાળકોને મનોરંજન મળે તેવા રમત-ગમતનાં સાધનોની વ્યવસ્થા કરવામાં આવશે.

                     સિંદૂર વનમાં આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી વનસ્પતિનું વાવેતર કરવામાં આવશે. જેમાં વડપીપળોઉમરો,કરંજઅર્જુનપીલુઅશ્વગંધાજાંબુઆંબલીલીમડોલિયારદાડમતુલસીઅળસીસરગવાસિંદૂરવાંસ જેવા ૪૦ પ્રકારનાં વૃક્ષનું આ જંગલ બનાવામાં આવશે.

                     આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાભુજ નગરપતિશ્રી રશ્મિબેન સોલંકીસાંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડાસર્વે ધારાસભ્યોશ્રી કેશુભાઇ પટેલશ્રીઅનિરુદ્ધભાઇ દવેશ્રી માલતીબેન મહેશ્વરી,શ્રી ત્રિકમભાઇ છાંગાશ્રી  પ્રદ્યુમ્નસિંહ જાડેજાશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના પદાધિકારીશ્રીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.

                        આ કાર્યક્રમમાં કલેકટરશ્રી આનંદ પટેલ,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમપશ્ચિમ કચ્છ એસ.પી શ્રી વિકાસ સુંડામુખ્ય વન સંરક્ષકશ્રી સંદિપકુમારપશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી હર્ષ ઠક્કરપ્રાંત અધિકારીશ્રી ડો.અનિલ જાદવ અને શ્રી એસ.કે. ચૌધરી  સહિતના વન અધિકારીશ્રીઓ સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિજ્ઞા પાણખાણીયા