વરસામેડીમાં વીજ શોકથી મહિલાનું કરુણ મોત

copy image

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં વીજ શોકથી મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વરસામેડીમાં રહેનાર 29 વર્ષીય મંજુલાબેન માદેવન મંડા પોતાના ઘરે હાજર હતા તે સમય દરમ્યાન ભૂલથી વીજ વાયરને અડી જતાં વીજશોકથી ગંભીર રીતે ઘવાયા હતા. ઉપરાંત તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.