નખત્રાણાના જતાવીરામાં 17 વર્ષીય સગીરાનો આપઘાત

copy image

નખત્રાણાના જતાવીરામાં 17 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ જતાવીરામાં રહેનાર રિપાબેન કાનજી ભીલે જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી પોતાના ઘરે હતી તે સમયે કોઈ અકળ કારણોસર લાકડાની આડીમાં ગળેફાંસો ખાઇ પોતાનો જીવ આપી દીધો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.