ભચાઉ ખાતે આવેલ ચીરઈની કંપનીની શ્રમિક વસાહતમાં યુવાને કર્યો આપઘાત

copy image

ભચાઉ ખાતે આવેલ આવેલ ચીરઈની કંપનીની શ્રમિક વસાહતમાં 31 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ આસામના અને નાની ચીરઈમાં આવેલી ડોબ્લી પ્લાયવૂડ નામની કંપનીની ઓરડીમાં રહેનાર 31 વર્ષીય મોન્ટુ સોનીવાલે જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી ગત દિવસે પોતાના રૂમ પર હતો તે સમયે કોઈ અકળ કારણે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો જીવનની અંતિમ વાટ પકડી લીધી હતી. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.