અદાણી પોર્ટ્સે રેકોર્ડબ્રેક કાર્ગો હેન્ડલિંગ કર્યું,ગુજરાતને ભારતના દરિયાઈ અર્થતંત્રમાં વધુ મજબૂત બનાવ્યું

default

default

ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન કંપની, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ ઓગસ્ટ 2025માં કાર્ગો
વોલ્યુમમાં વાર્ષિક 16% વધારો નોંધાવ્યો, જેમાં કુલ 41.9 MMT કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં આવ્યું. આ વધારો મુખ્યત્વે કન્ટેનર
હેન્ડલિંગમાં 29% વધારા થકી થવા પામ્યો હતો, જે APSEZના પોર્ટ કામગીરીમાં નેતૃત્વ અને ભારતના વેપારને સક્ષમ બનાવવાની તેની
મહત્વની ભૂમિકા દર્શાવે છે.
 
ભારતના પશ્ચિમ કિનારે આવેલું મુખ્ય પ્રવેશદ્વાર મુન્દ્રા પોર્ટે ગત મહિના દરમિયાન અનેક રેકોર્ડબ્રેક કાર્ગો હેન્ડલિંગ કર્યા. T2 ટર્મિનલે તેનો
અત્યાર સુધીનો સર્વોચ્ચ માસિક થ્રુપુટ હાંસલ કર્યો, જેમાં 1,29,780 કન્ટેનરનું હેન્ડલિંગ થયું, જ્યારે AMCT (CT2) એ 40 જહાજો
પર 1,04,793 કન્ટેનર હેન્ડલિંગ સાથે નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો, જે જુલાઈ 2023ના અગાઉના 1,01,441 કન્ટેનર હેન્ડલિંગના રેકોર્ડને
વટાવી ગયો હતો. આ ઉપરાંત, મુન્દ્રા પોર્ટના RoRo ઓપરેશન્સે 29 ઓગસ્ટ, 2025ના રોજ 1,460 કારોના વાર્ફિંગ સાથે નવો એક બેન્ચમાર્ક
સ્થાપિત કર્યો, જે માર્ચ 2025માં હાંસલ કરેલા 1,435 કારોના અગાઉના રેકોર્ડને પાર કરી ગયો હતો.
 
રેલ ઓપરેશનમાં પણ નવી ઊંચાઈઓ જોવા મળી. પોર્ટે 756 આયાતી ટ્રેનમાં 0.97 લાખ આઉટવર્ડ કન્ટેનરનું હેન્ડલિંગ કર્યું, જે અગાઉના 0.94
લાખ કન્ટેનર રેકોર્ડને વટાવી ગયું. ડબલ સ્ટેક હેન્ડલિંગે 542 આયાત રેક સાથે નવી ટોચને પ્રાપ્ત કરી, જેમાં 0.31 લાખ TEU વહન કરવામાં
આવ્યું, જ્યારે કુલ ડબલ સ્ટેક વોલ્યુમ 885 રેકમાં 0.50 લાખ TEU (0.19 નિકાસ અને 0.31 આયાત) પર પહોંચ્યું, જે
જુલાઈ 2025ના 0.46 લાખ TEUના અગાઉના બેન્ચમાર્કને વટાવી ગયું.
 
તમામ બંદરોમાં, APSEZએ એપ્રિલથી ઓગસ્ટ 2025ના સમયગાળામાં 202.6 MMT કાર્ગોનું હેન્ડલિંગ કર્યું, જે વાર્ષિક 11% વધારો દર્શાવે
છે, જે કન્ટેનર વોલ્યુમમાં 22% વધારાને કારણે છે. લોજિસ્ટિક્સ કામગીરીમાં પણ વધારો જોવા મળ્યો, ઓગસ્ટમાં રેલ વોલ્યુમ 57,347
TEUs હતું, જે વાર્ષિક 8% વધુ છે, અને GPWIS કાર્ગો 1.69 MMT હતો, જે 3% વધુ છે. વર્ષ 2025-26 દરમિયાન, રેલનું પ્રમાણ 14%
વધીને 2,97,766 TEUs થયું છે, જ્યારે GPWIS કાર્ગો 9.35 MMT પર પહોંચ્યો છે, જે 3% વધારો દર્શાવે છે.
 
ઓપરેશનલ રેકોર્ડ્સ ઉપરાંત, મુન્દ્રા પોર્ટ રાજ્ય અને દેશ બંને માટે મહત્વપૂર્ણ આર્થિક અને વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. ગુજરાતના કચ્છમાં સ્થિત
આ બંદર આંતરરાષ્ટ્રીય વેપાર માટે મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, જે ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર અને કન્ટેનરાઇઝ્ડ, બલ્ક તેમજ
લિક્વિડ કાર્ગો માટેનું મુખ્ય પ્રવેશદ્વાર તરીકે કાર્ય કરે છે. રેલ, રોડ અને પાઇપલાઇન્સ દ્વારા તેની સરળ જોડાણ અંતર્દેશીય બજારોને વૈશ્વિક
સપ્લાય ચેઇન સાથે જોડે છે, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડે છે અને વેપારની સ્પર્ધાત્મકતા વધારે છે. સરકારની “મેક ઇન ઇન્ડિયા” અને “મેરીટાઇમ
ઇન્ડિયા વિઝન 2030″ જેવી પહેલોને ટેકો આપીને, મુન્દ્રા પોર્ટ માત્ર પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપી રહ્યું નથી, પરંતુ વૈશ્વિક દરિયાઈ ક્ષેત્રમાં
ભારતની સ્થિતિને પણ મજબૂત બનાવી રહ્યું છે.