નખત્રાણાના મોટા યક્ષદેવ ના મેળા નિમિતે તા.13/09/2025 થી 15/09/2025 સુધી 3 દિવસ માટે ભારે વાહનોની અવરજવર બંધ માટે નું જાહેરનામું
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ની પેટા કલમ-૧ ખંડ(બી) મુજબનું જાહેરનામું જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, કચ્છ-ભુજ નં મેજી/પોલ-૧/જાહેરનામું-૩૩(૧)/માર્ગ નિયમન/૦૯/૨૦૨૫
પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, નખત્રાણાના તા.૧૧/૦૯/૨૦૨૫વાળા પત્રની વિગતે આગામી તા.૧૩/૦૯/૨૦૨૫થી તા.૧૫/૦૯/૨૦૨૫ સુધી નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે લોકમેળાનું આયોજન થનાર છે. મેળામાં આવનાર શ્રધાળુઓ મેળો માણી શકે તથા સરળતાથી ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે નખત્રાણાના વિરાણી ફાટકથી દેશલપર (વાંઢાય) સુધીનો રસ્તો તથા મંગવાણા પલીવાડથી યક્ષ ત્રણ રસ્તા બાજુ આવતો રસ્તો તા.૧૩/૦૯/૨૦૨૫થી તા.૧૫/૦૯/૨૦૨૫ સુધી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી, નીચે અનુસૂચિમાં જણાવેલ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) હેઠળનું જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે જે ધ્યાને લેતા ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.
જેથી હું આનંદ પટેલ,(આઈ.એ.એસ.)જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ ભુજ, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ તા.૧૩/૦૯/૨૦૨૫થી તા.૧૫/૦૯/૨૦૨૫ સુધી નખત્રાણાના વિરાણી ફાટકથી દેશલપર (વાંઢાય) સુધીના રસ્તા તથા મંગવાણા પલીવાડથી યક્ષ ત્રણ રસ્તા બાજુ આવતા રસ્તા પરથી ભારે વાહનોની અવર-જવર બંધ કરવા તથા નીચે અનુસૂચિમાં જણાવેલ રસ્તા/માર્ગોનો ઉપયોગ કરવા હુકમ કરુ છું.
અનુસૂચિ :
(૧) માતાનામઢ બાજુથી આવતા ભારે વાહનો વિરાણી ફાટક-નિરોણા-લોરીયા ચેક પોસ્ટ થઈ ભુજ તરફ જઈ શકશે.
(૨) ભુજ તરફથી આવતા ભારે વાહનો દેશલપર થઈ મંગવાણા-મોથાળા-તેરા ફાટક થઈ ઉખેડા થઈ માતાના મઢ તરફ જઈ શકશે.*
(૩) મંગવાણા પલીવાડથી યક્ષ ત્રણ રસ્તા બાજુ આવતો રસ્તો ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી મંગવાણાથી ભુજ બાજુ જવા માટે દેશલપર બાજુ તેમજ નલીયા બાજુ જવા માટે મોથાળા-તેરા ફાટક વાળો રૂટ અનુસરવો.
આ જાહેરનામું નીચેના વાહનોને લાગુ પડશે નહી.
૧. સરકારી ફરજ પરના વાહનો /એસ.ટી.બસો
૨. ફાયર ફાઈટર વાહનો
૩. એમ્બ્યુલન્સ વાહન.
આ જાહેરનામાંથી પ્રતિબંધિત થતા વાહનો પૈકીના વાહનને મુક્તિ આપવા માટેના અધિકારો પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજને રહેશે.