અંજારમાં 69 વૃદ્ધએ ટોઇલેટ ક્લીનર ગટગટાવી લેતા મોત

copy image

અંજારમાં 69 વૃદ્ધએ ટોઇલેટ ક્લીનર પી જતાં તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના ગાંધી ફળિયામાં રહેનાર ધીમંત સોમૈયા નામના વૃદ્ધ ગત સાંજના અરસામાં પોતાના ઘરે હતા તે સમયે કોઈ અકળ કરણોસર તેમણે ટોઇલેટ ક્લીનર ગટગટાવી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.