ફટાકડા વેચાણના હંગામી લાયસન્સ મેળવવા અંજાર મામલતદારશ્રીની કચેરીએ ૧ ઓક્ટોબર સુધીમાં અરજી કરવી
આગામી દિવાળીના પર્વ દરમિયાન અંજાર શહેરમાં અને શહેરની બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ આપવાના રહે છે. આ માટે જે નાગરિકો હંગામી લાયસન્સ મેળવવા માંગતા હોય તેઓએ મામલતદાર કચેરી અંજારમાંથી નિયત અરજી ફોર્મ મેળવી, નિયત નમૂનાનું સોગંદનામું, સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફીના ચલણ સાથેની અરજી કરવાની રહેશે. આ અરજી મામલતદાર કચેરી અંજાર ખાતે તા.૦૧/૧૦/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમિયાન જમા કરાવવાની રહેશે. સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તેમ એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર અંજારશ્રી બી.વી.ચાવડા દ્વારા જણાવાયું છે.