ભચાઉમાં કંપનીની વસાહતમાં 27 વર્ષીય યુવાને કર્યો આપઘાત

copy image

ભચાઉ ખાતે આવેલ કંપનીની વસાહતમાં 27 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. ત્યારે આ બનાવ અંગે સૂત્રો જણાવી રહ્યા છે ભચાઉના વાંઢિયામાં અજંતા કંપનીની વસાહતમાં આ બનાવ બન્યો હતો અહી મોરબીના જિગરકુમાર હર્ષદ વ્યાસ નામના યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગત દિવસે હતભાગી બપોરના અરસામાં કવાર્ટર પર હતો તે સમયે કોઈ અકળ કારણે પંખામાં ગળેફાંસો ખાઈ આ યુવાને જીવ આપી દીધો હતો. આ યુવાનએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.