ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ને ૧૫ વર્ષ પૂર્ણ થતાં સાથો સાથ શિક્ષાપત્રી દ્ધિશતાબ્દી મહોત્સવ ના ઉપલક્ષ માં ભવ્ય દીપોત્સવ નું આયોજન

અન્નકૂટ પરંપરા ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં ગૌર્ધન પૂજારૂપે ગોકુળથી અન્નકૂટોત્સવ પ્રારંભથયો હતો. આજે 500 વર્ષ બાદ પણ ભારતીય સનાતની ધાર્મિક ભક્તિ પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ આ અન્નકૂટોત્સવ વિવિધ સંપ્રદાયો તરફથી મંદિરોમાં ભક્તિભાવ સાથે નવવર્ષના પ્રથમ દિવસે કરવામાં આવે છે.

સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અન્નકૂટોત્સવ સમગ્ર દેશ-વિદેશના મંદિરોમાં ઉજવાય છે. આ વર્ષે ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિર ને પંદર વર્ષ થયા છે વિશેષ માં વર્ષ ની શરૂઆત માં જ
શિક્ષાપત્રી દ્ધિશતાબ્દી મહોત્સવ ના ઉપલક્ષ માં ભવ્ય દીપોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ માહિતી આપતાં ભુજ મંદિર ના કાર્યવાહક સંત કોઠારી શ્રી. દેવપ્રકાશદાસજી એ જણાવ્યું હતું કે. આ નૂતન સ્વામિનારાયણ મંદિર ના
૧૫ વર્ષ દરમ્યાન યોજાયેલા અન્નકુટ ઉત્સવો દરમ્યાન ૨૫ લાખ થી વધારે ભક્તો એ ભુજ મંદિર ના પ્રસાદ નો લાભ લીધો છે

આ વર્ષે હજારો મણ અન્નપુરવઠો, ખાદ્ય પદાર્થો, ખાંડ, તેલ, દેશી ઘી, વિપુલ માત્રામાં સુકા મેવા, મસાલા મળી અનેક પ્રકારના વ્યંજનો બનાવવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના મહંતસ્વામી શ્રી.ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી શ્રી .ભગવતજીવનદાસ, પાર્ષદ કોઠારી શ્રી.જાદવજી ભગતના માર્ગદર્શન તળે કાર્યવાહક સંત કોઠારી દેવપ્રકાશદાસજી
કોઠારી, ગૌલોકવિહારી દાસજી, શ્રી . શાંતિસ્વરૂપદાસજી, શ્રી. પુરષોતમસ્વરૂપદાસજી, શ્રી. કૃષ્ણવિહારીદાસજી, વિગેરે ૫૧ સંતોની ત્રણ જુદી જુદી ટીમોમાં પાર્ષદ ખીમજી ભગત, શ્રી. હરિકૃષ્ણદાસજી,
શ્રી. ધ્યાનસ્વરૂપદાસજી, શ્રી.હરિશ્વરુપદાસજી,
શ્રી હરિદાસજી, શ્રી.પ્રેમવલ્લભદાસજી,
શ્રી હરી પ્રસાદદાસજી, શ્રી.નૌતમચરણદાસજી
સાથે ૧૦૦ થી વધારે સંતો, સત્સંગી હરીભક્ત ભાઈ-બહેનો, સાંખ્યયોગી બહેનો કચ્છ નરનારાયણ દેવ યુવક, યુવતી અને મહિલા મંડળ અન્નકૂટ બનાવવાની સેવા આપી રહ્યા છે. દરવર્ષ ની જેમ આ વખતે પણ રંગોલીનું ભવ્ય આયોજન કરાયું છે. દિવાળીના કચ્છના ગામોમાંથી બાલિકાઓ પોતાની કલા અને કૌશલ્ય પ્રદર્શનથી રંગોળી બનાવશે અને જેની રંગોળી સુંદર હશે એ વિજેતા ને મહંત સ્વામી દ્વારા ભેટ અપાશે. દીપાવલી ના દિવસે નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે એક લાખ પચાસ હજાર દીવડા થી ભુજ મંદિર ને સુશોભિત શણગાર કરવામાં આવશે,

નૂતન વર્ષના ભગવાન સ્વામિનારાયણ, નરનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ તથા મંદિરમાં બિરાજમાન બધા જ દેવી દેવતાઓના સન્મુખે મહાઅન્નકૂટ ધરાવાશે.

175થી વધારે વિવિધ સ્વાદિષ્ટ વાનગીમાં મુખ્યત્વે મૈસુક, ફાફડા, સુખડી, લાડુ મોનથાળ, સકર પારા, સાટા, બુંદી, અડદિયા, ટોપરા પાક, ગુલાબ પાક, પેંડા, બરફી, અમૃતપાક, ગુંદરપાક, સાલમપાક, ગેવર વિગેરે ફરસાણ અને મિષ્ટાન
ની સામગ્રી ની વાત કરીએ તો ૧૯૦૦૦ જુદા જુદા લોટ અને બેસન
૫૦૦૦ કિલો ફાફડા
૩૫૦૦ કિલો મગજ
૩૫૦૦ કિલો સુખડી
૧૫૦૦ લોટ મોતીયા લાડું
૧૫૦૦ કણી મોનથાળ
૩૦૦૦કિલો નું ફરસાણ
૧૦૦૦ કિલો નું મિષ્ટાન
૭૫૦ ગુણી ખાંડ
૭૫૦ દેશી ઘી ના ડબ્બા
૪૦૦ ડબ્બા તેલ વિગેરે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
આ મહા દીપોત્સવ ના અન્ય કાર્યક્રમો માં તા.૨૦/૧૦ ના રોજ લક્ષ્મી પૂજન સાથે ચોપડા પૂજન, તા.૨૧/૧૦ ના દિવાળી નિમિત્તે સાંજે દીપોત્સવ અને તા.૨૨/૧૦ ના રોજ સવારે ૯ વાગ્યે થી સાંજે ૫ વાગ્યા સુધી અન્નકુટ દર્શન વિગેરે તમામ કાર્યક્રમો માં ઉપસ્થિત રહેવા ભુજ મંદિર ના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી દ્વારા સ્નેહપુર્વક જણાવવામાં આવ્યું છે

આ દિવસે અંદાજે ૩૦ થી ૩૫ હજારથી વધુ દર્શનાર્થી હરીભક્તો આવે તેવો વર્તવો જણાતાં તેમના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાશે.

બે લાખથી વધારે ભક્તોને આ અન્નકુટ નો પ્રસાદ દેશ વિદેશ માં વસતા હરિભક્તો માં અમેરીકા, લંડન. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનિયા, નૈરોબી, તાંઝાનિયા, યુગાન્ડા, ન્યુઝીલેન્ડ, યુ.એ.ઈ અને અન્ય દેશોમાં એર સુવિધા સાથો સાથે ભારતના દરેક રાજ્યમાં વસ્તા સંપ્રદાયના સત્સંગીઓને પણ પ્રસાદ પહોંચાડવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.