બિટ્ટાવલાડિયામાં 32 વર્ષીય યુવાનનો આપઘાત
copy image

અંજાર તાલુકાના બિટ્ટાવલાડિયામાં 32 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કટી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ બિટ્ટાવલાડિયામાં રહેનાર પરિણીત ગોવિંદ ડાંગર નામનો યુવાન ગત દિવસે બપોરના અરસામાં પોતાના ઘરે હતો તે સમયે કોઈ અકળ કારણોસર પંખામાં દોરી બાંધી ગળેફાંસો જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.