અંજારના નવાનગરમાં 20 વર્ષીય યુવા પરીણિતાનો આપઘાત
copy image

અંજાર ખાતે આવેલ નવાનગરમાં 20 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની ચકચારી બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, અંજારના નવાનગરમાં ગત સાંજના અરસામાં આ આપઘાતનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર નિશુ ઉપેન્દ્ર રાજકુમાર નામની યુવાન પરીણિતા પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઈ અકળ કારણોસર પરીણિતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. આ પરીણિતાએ કયા કારણોસર આવું પગલુ ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.