મોરબીમાં 17 વર્ષીય એક સગીરાએ લગ્ન કરવાની જીદને કારણે ગળેફાંસો ખાઈ આપઘાત.

copy image

copy image

મોરબીના ગામમાં 17 વર્ષીય એક સગીરાએ લગ્ન કરવાની જીદને કારણે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો . મળતી માહિતી અનુસાર માતાએ સગીરાની ઉંમર કાયદેસરની ન હોવાથી લગ્ન માટે ના પાડતા સગીરા એ પોતાના ઘરના પંખા સાથે ગળાફાંસો ખાઈ લેતા ઘટનાસ્થળે જ તેણીનું મૃત્યુ થયું હતું . મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતકના માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની તપાસ અંગે સામે આવ્યું હતું કે, માતાએ તેને ઉંમર પૂરી થયા બાદ લગ્ન કરવા માટેની સલાહ આપતા તેણીએ નારાજ થઈ આ પગલું ભર્યું હોવાનું પોલીસ માની રહી છે. આ બનાવ અંગે ની આગળની કાર્યવાહી મોરબી પોલીસે હાથ ધરી છે.