અમદાવાદમાથી 23 લાખની ચોરીનો બાનવ સામે આવ્યો : માત્ર બે કલાકની અંદર તસ્કરોએ કારીગરી કરી
copy image

ગુજરાત રાજ્યના અમદાવાદમાં શહેરમાંથી ખાસ અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉભા કરતો એક બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ચોરીની ઘટના બની છે. અહી આવેલ નક્ષત્ર એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં તસ્કરોએ તાળા તોડી અંદાજે 23 લાખ રૂપિયા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. આશ્ચર્યમાં મૂકનાર બાબત એ છે કે આ પરિવાર બહાર ગયો હતો તે સમયે સાંજના 5:30 થી 7 સૂચિના સમય ગાળા દરમ્યાન ચોર ઈશમોએ આ બનાવને અંજામ આપ્યો હતો. તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ ડોલર, દિરહામ અને યુરો જેવા વિદેશી ચલણની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા.