મુન્દ્રા પોર્ટ પર નવનિર્મિત VLCC ટર્મિનલનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું

અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના મુંદ્રા પોર્ટ પર તાજેતરમાં નવનિર્મિત VLCC ટર્મિનલનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ
ટર્મિનલ દેશનું પ્રથમ VLCC (Very Large Crude Carrier) ટર્મિનલ છે અને પોર્ટ એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો છે.
આ ટર્મિનલમાં વિશાળ જહાજોને લાંગરવા માટે અત્યંત ઊંડો ડ્રાફ્ટ, અદ્યતન મરીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા સુવિધાસભર જેટ્ટીનું નિર્માણ
કરવામાં આવ્યું છે. વધુમાં, જેટ્ટીથી લગભગ 489 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા બાડમેર સ્થિત HPCL રાજસ્થાન
રિફાઇનરી સાથે સીધી જોડાણ સુવિધા ઉપલબ્ધ છે, જે ક્રૂડ તેલના ઝડપી અને કાર્યક્ષમ પરિવહન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
આ ટર્મિનલનું લોકાર્પણ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિદેશ વેપાર નિયામક જનરલશ્રી લવ અગ્રવાલના હસ્તે
રીબીન કાપી અને પરંપરાગત પૂજા વિધિ સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુન્દ્રા અને તુણા પોર્ટના આ પ્રસંગે મુન્દ્રા અને તુણા
પોર્ટનાં સી.ઈ.ઓ.શ્રી સુજલકુમાર શાહ, અભિનવ ગુપ્તા (ડીસી- મુન્દ્રા એસ.એ.ઝેડ), કૃષ્ણકાંત મેહતા (એસ.ઓ.કસ્ટમ, મુન્દ્રા) અને
પોર્ટના સંલગ્ન વિભાગના વડાઓ અને અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. શ્રી અગ્રવાલ (ડીજી-ડીજીએફટી) પોર્ટના આધુનિક
ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તેની ગુણવત્તા અને વિશાળ કામગીરીથી પ્રભાવિત થયા હતા અને સરાહના કરી હતી.