ગાંધીધામમાં 25 વર્ષીય યુવાનનો આપઘાત
copy image

ગાંધીધામમાં 25 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ પોતાના જીવનનો અંત આણ્યો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામના ગાંધીધામના સુંદરપુરીમાં મહેશ્વરી સમાજવાડી સામે રહેતો દિનેશભાઈ કરશનભાઈ મહેશ્વરી નામનાઓ યુવાન પોતાન ઘરે હતો તે સમયે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.