ભચાઉ તાલુકાના ચોપડવામાં 16વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
copy image

ભચાઉ તાલુકાના ચોપડવામાં 16વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું. સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર માધાપર પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભચાઉ તાલુકાના ચોપડવામાં રહેનાર કિશોરી સવારે પોતાના ઘરે હતી તે દરમ્યાન તેણે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. ઇદના તહેવારના આગલા દિવસે કિશોરીનાં મોતને પગલે ભારે ચકચાર મચી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.