ભારત-કેનેડા આતંકવાદ સામે એક
copy image

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કેનેડાના ટોરોન્ટોમાં આવેલા કનિષ્કા મેમોરિયલની મુલાકાત લઈને એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૮૨ બોમ્બ બ્લાસ્ટના નિર્દોષ પીડિતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મળતી વિગતો મુજબ આ દરમિયાન તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો સાથે મુલાકાત લઈ તેમની સંવેદના વ્યક્ત કરી હતી. મંત્રી ગોયલે આ મુલાકાત દરમિયાન આવી સખત આતંકવાદી ઘટનાઓને ભવિષ્યમાં રોકવા માટે ભારત અને કેનેડાની સંયુક્ત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે આતંકવાદ સામે વૈશ્વિક લડાઈ મજબૂત કરવા અને આવી દુર્ઘટનાઓ ફરી ક્યારેય ન બને તે માટે બંને દેશોના સહયોગ પર ભાર મૂક્યો હતો.