અંજારના વરસાણામાં 29 વર્ષિય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકું કર્યું
copy image

અંજારના વરસાણામાં 29 વર્ષિય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકું કર્યું હતું. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વરસાણામાં બનલખી વે-બ્રિજ કોલોનીમાં બનાવ બન્યો હતો જેમાં યુવાન પોતાના રૂમ ઉપર હતો તે દરમ્યાન તેણે ટૂવાલ વડે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકું કરી લીધું હતું. આ બનાવ અંગેની આગળ ની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.