સામખિયાળીમાં શાંતિધામ પાછળના ભાગે તસ્કરો એક મકાનને નિશાન બનાવી ઘરમાંથી સોના-ચાંદીના આભૂષણો સહિત રૂપિયા એક લાખ ૯૮૦૦ ની કિંમત ની માલમતાની ચોરી કરીને લઇ ગયા હતાસામખયારી પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સામખયારી શાંતિધામ પાછળ રહેતા ભીખાભાઈ નગાભાઈ વણકર ઉંમર વર્ષ ૭૩ ના પુત્રવધુ આણંદ ગયા ત્યારે પાછળથી તેના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં અંદરથી સોના-ચાંદીના આભૂષણો સહિત કુલ રૂપિયા એક લાખ ૯૮૦૦ ની કિંમત ની માલમત્તા ચોરી કરીને લઇ ગયા હતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પૂર્વ અકસ્માત છેલ્લા ઘણા લાંબા સમયથી ચોરી લૂંટના બનાવવાનું પ્રમાણ વધુ છે ઘરે તાળા મારીને બહાર જાય ત્યારે પાછળથી તસ્કરો ચોરીના બનાવી રહ્યા છે છતાં કાયદાના રક્ષકો કોઈ પગલાં ભરતા નથી જેના પગલે લોકોમાં આક્રોશ ફેલાયો છે