મીઠીરોહર નજીકના ગોડાઉનમાંથી રૂ. ૭૦ હજારના ચોખા ચોરી

ગાંધીધામ તાલુકાના મીઠીરોહર સીમમાં આવેલ એક ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી વિદેશમાં નિકાસ કરાતા રૂપિયા ૭૦ હજારની કિંમતના ચોખાની બોરીઓ ચોરી થઈ ગઈ છે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મીઠીરોહર ની સીમમાં સરવે નંબર ૪૨/૨ મા આવેલ મલાઈ ભાઈ અશોકભાઈ કૈલા ની જગદીશ એગ્રો ફૂડ નામની કંપનીના ગોડાઉનમાંથી રૂપિયા ૭૦ હજારની કિંમતના ૨૦ બોરી ચોખા કોઈ ચોર ચોરી કરીને લઇ ગયા આ કંપની બહારથી ચોખાનો જથ્થો મંગાવી ખરીદી કરીને ચોખાને સાફ સફાઈ કરે છે પછી તેના પેકિંગ કરી ને વિદેશમાં નિકાસ કરે છે આ વિદેશ નિકાસ થતા ચોખામાં તસ્કરોએ હાથફેરો કરી રૂપિયા ૭૦ હજારની કિંમતની ૨૦ બોરી ચોખા ચોરી કરીને લઇ ગયા હતા કંપની માલિકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે