દુખીયારા ના દુખ: માં સહભાગી બની સાંસદશ્રી વિનોદ ચાવડાએ દિપાવલી ની ઉજવણી કરી.

નખત્રાણા તાલુકા – મોટી અરલ પાસે મારૂતી ના દર્શાનાર્થે જતાં પરિવાર ને વાહનમાં શોર્ટ સર્કિટ ને કારણે ગોઝારો અકસ્માત થતાં તેમને ગંભીર હાલતમાં ભુજ લાવવામાં આવેલ અને સાંસદશ્રી ઉપસ્થિત રહી આયુષ્યમાન ભારત તથા અમૃતમ યોજના તળે સરકારશ્રી ની મેડિકલ સારવાર માટેની યોજના અંતર્ગત તાત્કાલિક સારવાર કરાવી હતી. 

દિવાળીના પાવન પર્વે સાંસદશ્રી વિનોદ ચાવડા આજે આફતગ્રસ્ત પરિવારના નખત્રાણા માં રહેતા તેમજ તેમના તથા અન્ય આવા અચાનક થતાં અકસ્માત ગ્રસ્ત પરિવારો ને નખત્રાણા – સાંગનારા માં જાતે રૂબરૂ મુલાકાત લઈ તેમણે આશ્વત કર્યા હતા. અને જન પ્રતિનિધિ તરીકે જયારે પણ જરૂર પડશે ત્યારે કેન્દ્ર અને રાજય સહાયક યોજનાઓ અંતર્ગત તેમને સહાયભૂત થશે તેવો આશ્વાસન આપી તેમના દૂ:ખ માં સહભાગી થવાનો વિશ્વાસ અપાવ્યો હતો.